Published On May 1, 2024
ભારતમાં હવે દેહદાન વિશે ધીમે ધીમે જાગૃતિ આવી રહી છે અને ઘણા લોકો મૃતકના અંતિમ સંસ્કાર કરવાના બદલે હોસ્પિટલને તેનું દેહદાન કરે છે જેથી તબીબી સંશોધન માટે તેનો ઉપયોગ થઈ શકે. આવા એક કિસ્સામાં કેનેડામાં મૃત્યુ પામેલા ગુજરાતી યુવાનનો પાર્થિવ દેહ ગુજરાત લાવવામાં આવ્યો હતો અને તેના વતનની હોસ્પિટલમાં દેહદાન કરવામાં આવ્યું છે. વિદેશમાં વસવાટ કરતા ભારતીયના મોત પછી ભારતમાં તેનું દેહદાન કરવામાં આવ્યું હોય તેવી આ કદાચ પ્રથમ ઘટના છે.
show more